સુપરએન્યુએશન શું છે – લાભ, પેન્શન અને તે કેવી રીતે કાર્ય કરે છે
સુપરએન્યુએશન શું છે – લાભ, પેન્શન અને તે કેવી રીતે કાર્ય કરે છે
નિવૃત્તિ એ કર્મચારીઓની સૌથી મોટી ચિંતાઓ પૈકીની એક હોવાથી, કંપનીઓ તેમના સ્ટાફ માટે અનેક નિવૃત્તિ યોજનાઓ ઓફર કરે છે. નોકરીદાતા દ્વારા આપવામાં આવતા નિવૃત્તિના આવા લાભોને સુપરએન્યુએશન લાભ કહેવામાં આવે છે. પરંતુ પગાર વધારા અને બઢતી પર ધ્યાન કેન્દ્રિત કરતી આ ઝડપી દુનિયામાં, ઘણા કર્મચારીઓને આ લાભો પર ધ્યાન આપવા માટે વધુ જાગૃતિની જરૂર છે. શું તમે એવા કર્મચારી છો જેઓ સુપરએન્યુએશન વિશે વધુ જાણતા નથી? સુપરએન્યુએશન ફંડ, તેના ભથ્થાં અને ઘણું બધું જાણવા માટે આગળ વાંચો.
સુપરએન્યુએશન શું છે?
સુપરએન્યુએશન લાભ એ નિવૃત્તિ પેન્શનનો એક પ્રકાર છે. આ મુખ્યત્વે નોકરીદાતા (કંપની) દ્વારા તેના સ્ટાફ અથવા કર્મચારીઓને પૂરો પાડવામાં આવે છે. સુપરએન્યુએશનને કર્મચારીઓના કલ્યાણ માટે તૈયાર કરવામાં આવેલી પેન્શન યોજના તરીકે સમજો. આના પરિણામે સુપરએન્યુએશન ફંડમાંથી ચુકવણી થશે, જે ભથ્થાં અથવા અન્ય લાભો જેવા વિવિધ સ્વરૂપો લઈ શકે છે. ઘણી સંસ્થાઓ સુપરએન્યુએશન કાર્યક્રમોને કંપની પેન્શન યોજના અથવા સીપીપી તરીકે ઓળખાવે છે.
સુપરએન્યુએશન લાભો શું છે?
રેક કર્મચારીના સુપરએન્યુએશન ખાતામાં નિયમિતપણે રકમ જમા કરવામાં આવતી હોવાથી, સ્વાભાવિક રીતે આ રકમ સમય જતાં વધે છે અને તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે, જે તે સંબંધિત કર્મચારીને ચુકવણી કરવા માટે પાત્ર બને છે.
તમને કદાચ એવું લાગતું હશે કે નાનું યોગદાન બહુ મોટો તફાવત નથી લાવતું. પરંતુ સુપરએન્યુએશન લાભો માટેની માસિક નાની રકમ પણ એક મોટા ભંડોળમાં પરિવર્તિત થઈ શકે છે, જે નિવૃત્તિ પછીના ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ સાબિત થાય છે. નોકરીદાતા સામાન્ય રીતે વીમા કંપનીઓ પાસેથી ગ્રૂપ સુપરએન્યુએશન પ્લાન ખરીદતા હોવાથી, વીમા કંપની દ્વારા આપવામાં આવતો નફો કર્મચારીઓના સુપરએન્યુએશન વ્યક્તિગત ખાતામાં જમા થાય છે.
સુપરએન્યુએશન લાભો મુખ્ય બે પ્રકારના હોઈ શકે છે: નિર્ધારિત લાભ, જેમાં કર્મચારીને મળતું વળતર નિશ્ચિત હોય છે; બીજો પ્રકાર નિર્ધારિત ફાળાની યોજના છે, જેમાં વળતર નિશ્ચિત હોતું નથી પરંતુ સુપરએન્યુએશનમાં આપવામાં આવતો ફાળો નિશ્ચિત હોય છે. નિર્ધારિત લાભમાં, નિર્ધારિત લાભ પૂરો પાડવાની જવાબદારી નોકરીદાતાની હોય છે. નિર્ધારિત ફાળાના કિસ્સામાં, નોકરીદાતા માટે કોઈ સંબધિત જોખમ હોતું નથી.
સુપરએન્યુએશન અને નિવૃત્તિ વચ્ચે શું તફાવત છે?
સુપરએન્યુએશન અને નિવૃત્તિ વચ્ચેનો તફાવત ઘણીવાર ખોટી રીતે સમજવામાં આવે છે. સુપરએન્યુએશન એટલે નિર્ધારિત વય, સામાન્ય રીતે ૫૮ અથવા ૬૦ વર્ષની ઉંમરે પહોંચવા પર કર્મચારીને સેવામાંથી નિવૃત્ત કરવાની પ્રક્રિયા.
બીજી તરફ, નિવૃત્તિ એ કર્મચારી દ્વારા કાર્યસ્થળ પર સ્ટાફ તરીકે કામ પૂર્ણ કર્યા પછીનો તબક્કો છે.
સરળ શબ્દોમાં કહીએ તો, સુપરએન્યુએશન એટલે તમે નોકરીદાતા પાસે પેન્શનની પાત્રતા માટેની વયે પહોંચો તે. સુપરએન્યુએશન પછી, કર્મચારી માટે હવે પછીનો તાર્કિક વિષય સુપરએન્યુએશન પેન્શન છે. પેન્શન કેવી રીતે ચુકવવામાં આવે છે અથવા કેટલી રકમ ચુકવવામાં આવે છે, તેનો આધાર પસંદ કરવામાં આવેલી સુપરએન્યુએશન પ્લાન પર રહેલો છે.
એન્યુઈટી વિકલ્પોના ઉપલબ્ધ પ્રકારો
કર્મચારી નિવૃત્તિ સમયે જમા થયેલા લાભોમાંથી એક તૃતીયાંશ ભાગ સુધીની રકમ ઉપાડવા માટે પાત્ર છે. બાકીની રકમ (૨/૩) નિયમિત પેન્શનમાં રૂપાંતરિત કરી શકાય છે. ચોક્કસ અંતરાલે એન્યુઈટી વળતરનો આનંદ માણવા માટે આ ભંડોળને તાત્કાલિક એન્યુઈટી ફંડમાં રાખીને આ કરી શકાય છે.
તેથી, તમને એ પ્રશ્ન થતો જ હશે કે સુપરએન્યુએશન વખતે મળતા ભંડોળ માટે કયા એન્યુઈટી વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે. તાત્કાલિક એન્યુઈટી પ્લાન્સ સુપરએન્યુએશન ભંડોળમાંથી પેન્શન મેળવી આપે છે. તેથી, એન્યુઈટી પ્લાન્સ સુપરએન્યુએશન પેન્શન આપશે.
ઉપલબ્ધ સૌથી સામાન્ય પ્રકારના એન્યુઈટી વિકલ્પો નીચે મુજબ છે:
- આજીવન ચુકવવાપાત્ર - જ્યાં સુધી એન્યુઈટન્ટ જીવિત હોય ત્યાં સુધી એન્યુઈટીની રકમ આપવામાં આવે છે.
- ૫/૧૦/૧૫ વર્ષ માટે ગેરંટીડ આજીવન ચુકવવાપાત્ર - એન્યુઈટી નિશ્ચિત સમયગાળા માટે ગેરંટીડ છે.
- મૂડીની પરત ચુકવણી સાથે આજીવન ચુકવવાપાત્ર - 'આજીવન ચુકવવાપાત્ર' નું આ એક સુધારેલું સંસ્કરણ છે; અહીં, જ્યાં સુધી એન્યુઈટન્ટ જીવિત હોય ત્યાં સુધી એન્યુઈટી ચૂકવવામાં આવે છે અને તેમના અવસાન પછી, પ્રારંભિક રોકાણ વારસદારને પરત કરવામાં આવે છે.
- પતિ અને પત્નીના જીવન પર સંયુક્ત રીતે ચુકવવાપાત્ર - જ્યાં સુધી પતિ અથવા પત્ની જીવિત હોય ત્યાં સુધી એન્યુઈટીની રકમ ચૂકવવામાં આવે છે.
આવકવેરામાં સુપરએન્યુએશનના લાભો
આવકવેરાના નિયમો કોઈપણ પાકતી મુદતના ભંડોળને આવરી લે છે. તમને જાણવામાં રસ હશે કે શું નિવૃત્તિ લાભો પર કર લાદવામાં આવે છે.
તમને એ જાણવાની જિજ્ઞાસા હશે કે શું સુપરએન્યુએશનના લાભો પર કર લાગે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ લાભો મેળવવા માટે, એમ્પ્લોયર દ્વારા પ્રદાન કરવામાં આવેલ સુપરએન્યુએશન ફંડને આવકવેરા સત્તાધિકારીઓ પાસેથી મંજૂરી મળેલી હોવી આવશ્યક છે.
કર્મચારીના દૃષ્ટિકોણથી, કર લાભો રસપ્રદ છે. પ્રથમ, જો કર્મચારી સુપરએન્યુએશન ફંડને મંજૂરી આપે છે, તો નિયમિત રોકાણના ફાળાને જૂની આવકવેરા વ્યવસ્થા હેઠળ કલમ ૮૦સીમાં ગણવામાં આવે છે. આ કિસ્સામાં, તે કલમ હેઠળ કપાતની કુલ મર્યાદા ₹૧. ૫ લાખ છે. ચોક્કસ ઉંમર સુધી પહોંચવા પર કર્મચારીને કરવામાં આવતી સુપરએન્યુએશનની ચુકવણી કરમુક્ત છે. તેવી જ રીતે, કર્મચારીના મૃત્યુ અથવા ઈજાને કારણે મળતા લાભો પણ કર મુક્ત છે. જો કર્મચારી નિવૃત્તિ પહેલાં કામ કરી શકે તેમ ન હોય, તો સુપરએન્યુએશન કરમુક્ત રહેશે.
એ નોંધવું જોઈએ કે સુપરએન્યુએશન પેન્શન માટે એમ્પ્લોયરનો ₹૧. ૫ લાખ સુધીનો ફાળો કરમુક્ત છે. જોકે, જો આ ફાળો ₹૧. ૫ લાખથી વધુ હોય, તો તે વધારાની રકમને કર્મચારી માટે લાભ (ભથ્થું) તરીકે ગણીને તેના પર કર લેવામાં આવશે.
૨૦૨૦ના બજેટમાં એનપીએસ, આરપીએફ અને સુપરએન્યુએશન ફંડમાં એમ્પ્લોયરના વાર્ષિક ફાળા માટે ₹૭. ૫ લાખની સંયુક્ત ઉપલી મર્યાદા નક્કી કરવામાં આવી છે. નોકરીદાતા દ્વારા કરવામાં આવતો ₹૭. ૫ લાખની આ મર્યાદાથી વધુનો ફાળો સંબંધિત કર્મચારીના હાથમાં લાભ તરીકે કરપાત્ર ગણાશે.
આમ, જો વિચાર કરવામાં આવે તો મોટાભાગના સુપરએન્યુએશન ભથ્થા પર કર લાગતો નથી. તેથી, જો યોગ્ય રીતે વિચારવામાં આવે તો, મોટાભાગના પ્રકારના સુપરએન્યુએશન એલાઉન્સ કરમુક્ત રહે છે).
સુપરએન્યુએશન કેવી રીતે કામ કરે છે?
સુપરએન્યુએશન કેવી રીતે કામ કરે છે તે કર્મચારીઓ વચ્ચે એક સામાન્ય મૂંઝવણ છે. સુપરએન્યુએશન પ્લાન નીચે મુજબની રીતે કામ કરે છે: આવા ખાતામાં જમા કરવામાં આવેલા નાણાં નિવૃત્તિની ઉંમર સુધી અથવા તે ઉપાડવામાં ન આવે ત્યાં સુધી વધશે અને તે કોઈપણ કરની સમસ્યાઓ વગર થશે.
જેમને આ અંગે કોઈ જાણકારી નથી, તેમના માટે સુપરએન્યુએશન સ્કીમ એ સાદી રીતે એક રિટાયરમેન્ટ પ્લાન છે. તેનું સંચાલન નોકરીદાતા દ્વારા અધિકૃત ટ્રસ્ટ જેવી સંસ્થા અથવા પીએફઆરડીએ દ્વારા સુપરએન્યુએશનનું સંચાલન કરવા માટે મંજૂર કરવામાં આવેલી વીમા કંપની દ્વારા કરી શકાય છે.