અમે NRI માટે વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઑફર કરીએ છીએ જે બચત અને સંપત્તિ રચના માટેની તકો અને સુરક્ષા પ્રદાન કરે છે. નીચેની માહિતી તમે અમારી સાથે કેવી રીતે નોંધણી કરાવી શકો છો તે સમજવામાં તમારી મદદ કરશે.
બિન-નિવાસી ભારતીયો
એક બિન-નિવાસી ભારતીય ભારતનો એક નાગરિક છે જે અસ્થાયી ધોરણે તેના/તેણીનાં વર્તમાન નિવાસના દેશમાં રહે છે અને ભારત સરકાર દ્વારા જારી એક માન્ય પાસપોર્ટ ધરાવે છે.
- પૉલિસીઓ માત્ર ભારતીય રૂપિયામાં જારી કરવામાં આવે છે.
- NRIને તેમની તમામ ઔપચારિકતાઓ ભારતમાં તેમના રોકાણ દરમિયાન પૂર્ણ થાય ત્યારે ભારતમાંની તેમની મુલાકાત પર વીમો આપવામાં આવે છે.
- NRI અસાધારણ સંજોગોમાં તેમના નિવાસનાં વર્તમાન દેશમાંથી વીમા કવર મેળવી શકે છે જો તેઓ તેમના નિવાસનાં દેશમાં તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરે.
- ભારતીય મૂળના(PIO) લોકો કે જેમની પાસે વિદેશી રાષ્ટ્રીયતા છે અને વિદેશોમાં વસવાટ કરી રહ્યાં છે (PIO) ને વીમાની અનુમતિનાં હેતુ માટે NRI તરીકે ગણવામાં આવાતા નથી.
જીવન વીમાની અરજી કરવા માટેની જરૂરિયાતો
- યોગ્ય રીતે ભરેલું દરખાસ્ત ફોર્મ
- ઉંમર અને આવકનો પુરાવો
- તાજેતરનો ફોટો
- વીમાની પ્રસ્તાવિત યોજના હેઠળ પ્રીમિયમ હપતાને સમકક્ષ પ્રારંભિક ડિપોઝિટ
- ભારતમાં બેન્ક ખાતાની નકલ (પ્રીમિયમ જે ભારતનાં બેન્ક ખાતા / એનઆરઇ ખાતા માંથી ચૂકવવામાં આવશે તેની)
- યોગ્ય રીતે પ્રમાણિત પાસપોર્ટની નકલ
- એનઆરઆઈ પ્રશ્નાવલી (પરિશિષ્ટનો સંદર્ભ લો)
- પુરાવા સાથેનું ભારતમાંનું કાયમી સરનામું (જો પત્રવ્યવહારના સરનામાથી અલગ હોય તો)
- જ્યાં ચૂકવેલ પ્રીમિયમ (તમામ પૉલિસીઝ હેઠળ કુલ વાર્ષિક પ્રીમિયમ) રૂ. 50,000 અને તેથી વધુ હોય ત્યાં પાનકાર્ડ અથવા ફોર્મ 60
- જ્યા દરખાસ્તકર્તા ભારતની બહારના દેશના ટેક્સ રેસિડેન્ટ હોય તેમણે એનઆરઆઈ માટે એફએટીસીએ ફોર્મ તેમ જ ટીઆઇએન નંબરની PIO/OCI વિગતો આપવાની રહેશે
- ઈમેલ ID
- જ્યાં લાગુ હોય ત્યાં તબીબી પરીક્ષણો
અન્ય શરતો
- દરખાસ્ત ફોર્મ ભારતમાં હસ્તાક્ષરિત કરવાની જરૂર છે
- અપવાદરૂપ કિસ્સાઓ અંતર્ગત વિદેશમાં હસ્તાક્ષરિત દરખાસ્ત ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે જો તેની સાક્ષી આમના દ્વારા આપવામાં આવે:
- નોકરી કરનાર વ્યક્તિ હોય તો તે કિસ્સામાં નિયોક્તા દ્વારા
- વિદ્યાર્થીઓના કિસ્સામાં શૈક્ષણિક સંસ્થાઓના પ્રાચાર્ય અથવા ડીન દ્વારા
- દરખાસ્ત કરનારનાં બેન્કર દ્વારા (વિદેશ)
- ભારતીય વાણિજ્ય-દૂતાવાસ/ ભારતીય દૂતાવાસનાં અધિકારી દ્વારા
- એનઆરઆઈના નિવાસના દેશમાં કામ કરતા નોટરી / એટોર્ની દ્વારા
- તબીબી પરીક્ષણો ભારતમાં કરવા પડશે સિવાય કે જ્યારે દરખાસ્ત ફોર્મ ભારતની બહાર સહી કરવામાં આવેલું હોય. કરવા માટેનાં તબીબી પરીક્ષણોની સૂચી અને તબીબી અહેવાલનું ફોર્મેટ (એફએમઆર) અમારા એસબીઆઇ લાઇફ અધિકારી દ્વારા ક્લાયંટ સાથે શેર કરવામાં આવશે.
- પરિશિષ્ટોમાં સૂચિબધ્ધ દેશો માટે કોઈ પ્લાન પ્રતિબંધ નથી.
- ઑફર કરેલ રાઇડર્સ
- અકસ્માત મૃત્યુ લાભ રાઇડર
- અકસ્માતથી કુલ અને કાયમી અપંગતાના લાભના રાઇડર
- ટર્મ રાઇડર
- પ્રીમિયમ વિવર લાભ રાઇડર
- ઉચ્ચ રેટ વાળા દેશોમાં (બિન મઆંક દેશો) કોઈપણ રાઇડર્સ ઑફર કરવામાં આવશે નહીં, જો કે રાઇડર્સ દેશ વિશિષ્ટ હોય છે અને તે એસબીઆઇ લાઇફની મુનસફી પર ઓફર કરવામાં આવશે.
ભારતીય મૂળના લોકો કે જેમની પાસે વિદેશી રાષ્ટ્રીયતા છે અને વિદેશોમાં વસવાટ કરી રહ્યાં છે -
- આ હેતુ માટે બાંગ્લાદેશ, નેપાળ, શ્રિલંકા અથવા પાકિસ્તાન સિવાય કોઈપણ દેશના નાગરિકને પર્સન ઑફ ઇન્ડિયન ઑરિજિન (PIO) અથવા ઑવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જો
- તે/તેણી કોઈપણ સમયે ભારતીય પાસપોર્ટ ધરાવ્યો હોય અથવા
- તે/તેણી અથવા તેના/તેણીના માતા-પિતામાંથી કોઈપણ અથવા તેના/તેણીના દાદા-દાદીમાંથી કોઇપણ ભારતના બંધારણ અથવા નાગરિકત્વ કાયદા, 1955 (1955 ના 57) ને કારણે ભારતના નાગરિક હોય; અથવા
- જો વ્યક્તિ એક ભારતીય નાગરિકના જીવનસાથી હોય અથવા વ્યક્તિનો પેટા-કલમમાં (અ) અથવા (બ) માં ઉલ્લેખ થયેલ હોય
PIO/OCI કાર્ડ ધારકો માટે દસ્તાવેજીકરણ, શરતો અને નિયમો
- દરખાસ્ત ફોર્મ્સ માત્ર ભારતમાં હસ્તાક્ષરિત કરવાની જરૂર છે
- PIO/OCI કાર્ડ સાથે પાસપોર્ટની નકલ
- તાજેતરનો ફોટો
- પુરાવા સાથેનું કાયમી સરનામું (જો પત્રવ્યવહારના સરનામાથી અલગ હોય તો)
- જ્યાં ચૂકવેલ પ્રીમિયમ (તમામ પૉલિસીઓ હેઠળ કુલ વાર્ષિક પ્રીમિયમ) રૂ. 50,000 અને તેથી વધુ હોય ત્યાં પાનકાર્ડ અથવા ફોર્મ 60
- ભારતમાં બેંક ખાતાની નકલ / એનઆરઇ ખાતું
- રોજગારનો પુરાવો
- આવકનો પુરાવો અને ઉંમરનો પુરાવો
- NRI પ્રશ્નાવલિ (પરિશિષ્ટનો સંદર્ભ લો)
- ઈમેલ ID
- તબીબી પરીક્ષણો ફક્ત ભારતમાં જ કરવામાં આવશે (જ્યાં લાગુ પડતું હોય)
- ટર્મ પ્લાન્સ ઓફર કરવામાં આવશે નહીં
- કોઈપણ રાઇડર્સ ઓફર કરવામાં આવશે નહીં
- પૉલિસીઓમાત્ર ભારતમાં જ અને ભારતીય રૂપિયામાં જ જારી કરવામાં આવશે
કૃપા કરીને નોંધો - પ્રસ્તાવનો સ્વીકાર કરવો, બધી પ્રાપ્ત માહિતીના મૂલ્યાંકન પછી એસબીઆઇ લાઇફની સંપૂર્ણ મુનસફી હશે.