માઇક્રો ઇન્શ્યૉરન્સ પ્લાન - એસબીઆઈ લાઇફ શક્તિ | 50% દરે વળતર
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - શક્તિ

UIN: 111N038V03

પ્રોડક્ટ કોડ: 095

null

ગ્રુપ માઈક્રો ટર્મ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ પાકતી મુદતે 50% રીટર્ન ઑફ પ્રીમિયમ સહિત.

  • પરવડે એવી વીમા સુરક્ષા
  • કવરેજ રકમની લવચિકતા
  • પાકતી મુદતે રીટર્ન ઑફ પ્રીમિયમ
નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ ગ્રુપ માઈક્રો ટર્મ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ પાકતી મુદતે 50% પ્રીમિયમ પાછું મળવા (રીટર્ન) સહિત

શું તમે માઈક્રો ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન (એમએફઆઈ) અથવા નૉન-ગવર્મેન્ટ ઑર્ગેનાઈઝેશન (એનજીઓ) છો અને તમારા સદસ્યોના જીવનને સલામત કરવા પરવડે એવાં પ્લાન્સ જોઈ રહ્યા છો?

એસબીઆઈ લાઈફ-શક્તિ તમારા સદસ્યોને સુરક્ષા પૂરી પાડવા સવિશેષ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેઓ પાકતી મુદતે 50% પ્રીમિયમો પણ પાછા મેળવશે.

એસબીઆઈ લાઈફ-શક્તિ પ્લાન તમને આપે છે -
  • સુરક્ષા - તમારા સભ્યોને સુરક્ષિત કરો અને તેઓના કુટુંબને કોઈ સંભવિત ઘટનાના કિસ્સામાં સુરક્ષિત કરો
  • વિશ્વસનીયતા - પાકતી મુદતે ચૂકવેલા પ્રીમિયમોના 50% પાછા આપીને
  • લવચિકતા - તમારા સદસ્યોની જરૂરિયાતો પ્રમાણે વીમા રકમની પસંદગી આપીને.
  • સામર્થ્ય - વ્યાજબી પ્રીમિયમ્સ સાથે

આર્થિક સ્વતંત્રતાની સફરમાં તમારા સદસ્યોને આધાર પૂરો પાડો.

હાઈલાઈટ્સ

null

માઈક્રો ઈન્શ્યૉરન્સ પ્લાન, એસબીઆઈ લાઈફ-શક્તિ, રીટર્ન ઑફ પ્રીમિયમ

સુવિધાઓ

  • ગ્રુપ માટે લાઈફ કવરેજ આપવામાં આવે છે.
  • પાકતી મુદતે ચૂકવેલા પ્રીમિયમોના 50% પાછા
  • મેમ્બરની જરૂ રિયાતો અનુસાર વીમા રકમની પસંદગી, રૂ.2,00,000 સુધી મર્યાદિત
  • પરવડે એવી પ્રીમિયમ રકમોની શ્રેણી

ફાયદાઓ

સુરક્ષા
  • ગ્રુપ મેમ્બરોને રિસ્ક કવર પૂરું પાડે છે અને કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તેમના પરિવારોને સુરક્ષિત કરે છે.
વિશ્વસનીયતા
  • પાકતી મુદતે ચૂકવેલા પ્રીમિયમોના 50% પાછા મળવા સાથે તમારા સદસ્યો માટે અચૂક લાભો.
લવચીકતા
  • તમારા ગ્રુપ મેમ્બરોની તેમની આર્થિક જરૂરિયાતો અનુસાર કવર કરો.
સામર્થ્ય
  • તમારા ગ્રુપ મેમ્બરોને વાજબી ખર્ચમાં વીમાનાં લાભો પૂરાં પાડો.
મૃત્યુ લાભ:
પૉલિસી મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું મૃત્યુ થવા પર વીમા રકમ જે પસંદ કરી હોય તે ચુકવવાપાત્ર રહેશે.
મેચ્યોરિટી લાભ :
વીમિત વ્યક્તિ સંપૂર્ણ પૉલિસી મુદત સુધી જીવીત રહેવા પર ચૂકવેલા કુલ પ્રીમિયમોના 50% (લાગુ થતા કરવેરા સિવાય) પાછા આપી દેવામાં આવશે.
અન્ય માહિતી
  • સરેન્ડર
    મેમ્બર પહેલા પૉલિસી વર્ષ પછી અને પાકતી તારીખ પહેલા ગમે ત્યારે ઈન-ફોર્સ અથવા પેઈડ-અપ પૉલિસી, સરન્ડર વેલ્યૂ માટે સરન્ડર કરીને રદ કરી શકે છે, આ માટે 2 વર્ષના પૂરાં પ્રીમિયમો ચૂકવ્યા હોય તે જરૂરી છે.
  • ગ્રેસ પીરિયડ
    પ્રીમિયમની પાકતી તારીખથી 30 દિવસોનો ગ્રેસ પીરિયડ માન્ય રખાશે.
  • પેઈડ અપ વેલ્યૂ :
    જો વીમો કરાવેલ વ્યક્તિ ગ્રેસ પીરિયડની અંદર પ્રીમિયમ ન ચુકવી શકે તો તે/તેણી હજી પણ વીમા સુરક્ષા મેળવશે પરંતુ આ ઘટાડેલ મૃત્યુ/પરિપક્વતા લાભ માટે રહેશે. જો પ્રથમ બે વર્ષના પ્રીમિયમો ચુકવ્યા હોય તો જ વીમા સુરક્ષા કોઈ પેઈડ અપ મૂલ્ય મેળવે છે.
  • રીવાઇવલ
    મેમ્બર અથવા માસ્ટર પૉલિસીધારક પ્રથમ ન ચુકવેલા પ્રીમિયમની પાકતી તારીખથી 2 વર્ષની મુદત અંદર મેમ્બરનો લાઈફ કવર રીવાઈવ કરવાનો વિકલ્પ ધરાવે છે.
  • ફ્રી લૂક પીરિયડ
    જો આ ફરજીયાત યોજના હોય (જેમાં સહભાગનો નિર્ણય મેમ્બર પાસે ન હોય અને યોજનામાં સામેલ થવું મેમ્બર માટે ફરજીયાત હોય) તો ફ્રી-લૂક મુદત દરમિયાન રદ કરવા (કેન્સલેશન) માટેનો વિકલ્પ વીમિત મેમ્બરને ઉપલબ્ધ નથી રહેતો અને તે માત્ર માસ્ટર પૉલિસીધારકને જ ઉપલબ્ધ રહેશે.
    જો આ સ્વૈચ્છિક યોજના હોય (જેમાં સહભાગી થવાનો નિર્ણય મેમ્બર પાસે હોય અને તે યોજનામાં જોડાવાનો નિર્ણય કરે) તો માસ્ટર પૉલિસીધારકની સાથે વીમિત મેમ્બર ડાયરેક્ટ માર્કેટિંગ સિવાયના અન્ય કોઈ માધ્યમ દ્વારા મેળવેલી પૉલિસીના કિસ્સામાં વીમાનું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી 15 દિવસની અંદર અને ડાયરેક્ટ માર્કેટિંગ મારફત મેળવેલી પૉલિસીના કિસ્સામાં વીમાનું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી 30 દિવસોની અંદર પૉલિસીના નિયમો અને શરતોની સમીક્ષા કરી શકે છે અને જો વીમિત મેમ્બર કોઈપણ નિયમો અને શરતોથી સંતુષ્ટ અથવા સહમત ન હોય તો તે/તેણી વાંધા માટેનું કારણ દર્શાવી વીમાનું પ્રમાણપત્ર પાછું આપવાનો વિકલ્પ ધરાવે છે. આવી કોઈપણ વિનંતી મુખ્ય પૉલિસીધારક દ્વારા કરવાની રહેશે. ચૂકવેલા પ્રીમિયમો થયેલ સ્ટેમ્પ ડ્યુટી ખર્ચ કાપી લીધા પછી માસ્ટર પૉલિસીધારક મારફત પાછા આપી દેવામાં આવશે.
  • લોન સુવિધા
    આ પ્લાન હેઠળ કોઈ લોન સુવિધા ઉપલબ્ધ નથી.
  • અપવર્જનો :
    • આપઘાત :
      જો વીમો કરેલ ગ્રુપ મેમ્બર જોખમ શરૂ થયાની તારીખથી અથવા વીમા સુરક્ષા રીવાઈવ કરાયાની તારીખથી એક વર્ષની અંદર માનસિક સ્વસ્થ અથવા અસ્વસ્થ અવસ્થામાં આપઘાત કરે તો મૃત્યુ પામેલા ગ્રુપ મેમ્બર માટેના વીમા લાભો ચુકવવાપાત્ર નહીં રહે. આ કિસ્સામાં, પૉલિસી અંતર્ગત મેમ્બર માટે ચુકવેલા પ્રીમિયમોના 80%, મૃત્યુની તારીખ સુધી અથવા સરન્ડર વેલ્યૂ માંથી જે પણ વધુ હોય તે પાછા ચુકવી દેવામાં આવશે.

એસબીઆઇ લાઇફ - શક્તિના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

null
$ $ઉંમરના બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસે ઉંમરના છે.
**કરવેરા અને શૂલ્ક લાગુ થાય તેમ અલગથી ચાર્જ કરવામાં આવશે.
^બધા જ એસબીઆઈ લાઈફ ગ્રુપ માઈક્રો ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ માટે કુલ વીમા રકમ પ્રતિ જીવન રૂ. 2,00,000 સુધી મર્યાદિત કરાશે.

95.ver.01-03/18 WEB GUJ

વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.

કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.