એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, જનરલ એન્યુઈટી પ્રોડક્ટ.
તણાવ મુક્ત નિવૃત્તિનો આનંદ માણો એસબીઆઈ લાઈફ - સ્માર્ટ એન્યુઈટી પ્લસ દ્વારા પૂરી પડાતી રેગ્યુલર ગૅરંટેડ ઈન્કમ સાથે. આ એક એન્યુઈટી પ્લાન છે જે ઈમીડિયેટ અને ડીફર્ડ બંને એન્યુઈટી વિકલ્પોની સાથે જોઈન્ટ લાઈફ વિકલ્પો પણ પૂરાં પાડે છે જે તમને નિશ્ચિંત નિવૃત્ત જીવન પૂરું પાડવા સાથે તમારા પ્રિયજનોને આર્થિક સલામતી પણ પૂરી પાડે છે.
એન્યુઈટી વિકલ્પોની વ્યાપક શ્રેણીમાંથી પસંદગી કરવાની તક
મોટાં પ્રીમિયમો માટે ઉચ્ચ એન્યુઈટી ચૂકવણીનો લાભ
^માત્ર પ્રોડક્ટ કન્વર્ઝન, એનપીએસ કોર્પસમાંથી અને ક્યૂઆરઓપીએસ કોર્પસમાંથી પર્ચેઝ સિવાયના ઈમીડિયેટ એન્યુઈટી વિકલ્પો માટે ઉપલબ્ધ.
એન્યુઈટી ભારતમાં પ્રવર્તમાન આવકવેરા કાયદાઓ અનુસાર કરપાત્ર છે, જે વખતો વખત ફેરફારને આધિન રહે છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો.
રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ અથવા બૅલેન્સ પર્ચેઝ પ્રાઈસનો વિકલ્પ માત્ર અમુક એન્યુઈટી વિકલ્પો હેઠળ ઉપલબ્ધ.
@વિગતો માટે, ‘ઈન્સેન્ટિવ ફોર હાયર પર્ચેઝ પ્રાઈસ’ વિભાગ જુઓ.
આ પ્રોડક્ટ ઑનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ છે.
ફાયદા
સલામતી
તમારી નિવૃત્તિનો આનંદ માણવા આર્થિક આઝાદી
વિશ્વસનિયતા
તમારાં ખર્ચાને પહોંચી વળવા નિયમિત આવક
લવચિકતા
કોઈ દુર્ઘટનાના કિસ્સામાં પરિવારના સદસ્ય માટે સીક્યોર એન્યુઈટી/પેન્શન
તમારી પસંદગી અનુસાર સમયાંતરે આવક મેળવો
કર લાભો મેળવો*
આ પ્રોડક્ટ હેઠળ બે પ્રકારની એન્યુઈટી ઉપલબ્ધ છે.
1. લાઈફ એન્યુઈટી (સિંગલ લાઈફ) :
લાઈફ એન્યુઈટી (વિકલ્પ 1.1) : એન્યુઈટંટના જીવન માટે એન્યુઈટી સ્થાયી દરે ચૂકવવાપાત્ર રહે છે અને મૃત્યુ થવા પર તરત બંધ થઈ જાય છે અને કૉન્ટ્રાક્ટ રદ થાય છે.
લાઈફ એન્યુઈટી રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ સહિત** (વિકલ્પ 1.2) : એન્યુઈટંટના જીવન માટે એન્યુઈટી સ્થાયી દરે ચૂકવવાપાત્ર રહે છે જે મૃત્યુ થવા પર તરત બંધ થઈ જાય છે અને પર્ચેઝ પ્રાઈસ નોમિનીને પાછી આપી દેવામાં આવે છે અને કૉન્ટ્રાક્ટ રદ થાય છે.
લાઈફ એન્યુઈટી રીટર્ન ઑફ બૅલેન્સ પર્ચેઝ પ્રાઈસ# સાથે (વિકલ્પ 1.3) : એન્યુઈટંટના જીવન માટે એન્યુઈટી સ્થાયી દરે ચૂકવવાપાત્ર રહે છે. મૃત્યુ થવા પર, બૅલેન્સ પર્ચેઝ પ્રાઈસ# (જે પર્ચેઝ પ્રાઈસ ઓછા એન્યુઈટંટ દ્વારા પહેલા જ મેળવેલ એન્યુઈટી પેમેન્ટ્સ, જો કોઈ હોય તો તેનો સરવાળા બરાબર રહેશે) ચૂકવી દેવામાં આવશે. જો આ બૅલેન્સ પોઝિટિવ ન હોય તો કોઈ ડેથ બેનિફિટ ચૂકવવાપાત્ર નથી રહેતું, બધાં જ ભાવિ એન્યુઈટી પેઆઉટ્સ તરત બંધ થઈ જાય છે અને કૉન્ટ્રાક્ટ રદ થાય છે.
લાઈફ એન્યુઈટી 3% (વિકલ્પ 1.4) અથવા 5% (વિકલ્પ 1.5)ના એન્યુઅલ સિમ્પલ ઈન્ક્રીઝ સાથે : વધતી એન્યુઈટી એન્યુઈટંટના જીવન પર્યંત ચૂકવવાપાત્ર રહે છે જે દરેક પૂર્ણ કરેલા પૉલિસી વર્ષ માટે પસંદ કરેલા વિકલ્પ અનુસાર 3% અથવા 5% દર વર્ષના સિમ્પલ દરે વધે છે. એન્યુઈટંટનું મૃત્યુ થવા પર, બધાં જ ભાવિ પેઆઉટ્સ તરત બંધ થાય છે અને કૉન્ટ્રાક્ટ રદ થઈ જાય છે.
લાઈફ એન્યુઈટી 10 વર્ષ (વિકલ્પ 1.6) અથવા 20 વર્ષ (વિકલ્પ 1.7) ની ચોક્કસ મુદત સાથે : એન્યુઈટી પસંદ કરેલા વિકલ્પ અનુસાર 10 અથવા 20 વર્ષની નિશ્ચિંત મુદત માટે સ્થાયી દરે ચૂકવવાપાત્ર રહે છે; અને ત્યારપછી આ જ એન્યુઈટી રકમ એન્યુઈટંટના જીવન પર્યંત ચૂકવવાપાત્ર રહે છે.
પરિસ્થિતિ 1 : જો એન્યુઈટંટ પૂર્વનિર્ધારિત 10 અથવા 20 વર્ષની મુદત દરમિયાન મૃત્યુ પામે છે તો, એન્યુઈટી ચૂકવણીઓ હજી પણ પસંદ કરેલી મુદત પૂરી થવા સુધી નોમિનીને ચૂકવવાનું ચાલુ રહેશે, ત્યારબાદ એન્યુઈટી ચૂકવણીઓ બંધ થાય છે અને કૉન્ટ્રાક્ટ રદ થાય છે.
પરિસ્થિતિ 2 : જો એન્યુઈટંટ 10 અથવા 20 વર્ષની પૂર્વનિર્ધારિત મુદત પછી મૃત્યુ પામે તો, એન્યુઈટી ચૂકવણીઓ એન્યુઈટંટનું મૃત્યુ થવા પર તરત જ બંધ થાય છે અને કૉન્ટ્રાક્ટ રદ થઈ જાય છે.
લાઈફ એન્યુઈટી 3% (વિકલ્પ 1.8) અથવા 5% (વિકલ્પ 1.9)ના એન્યુઅલ કમ્પાઉન્ડ ઈન્ક્રીઝ સાથે : વધતી એન્યુઈટી અન્યુઈટંટના જીવન પર્યંત ચૂકવવાપાત્ર રહે છે, જે પસંદ કરેલા વિકલ્પ અનુસાર દરેક પૂર્ણ કરેલા પૉલિસી વર્ષ માટે 3% અથવા 5% દર વર્ષના કમ્પાઉન્ડ દરે વધે છે. એન્યુઈટંટનું મૃત્યુ થવા પર, બધાં જ ભાવિ એન્યુઈટી પેઆઉટ્સ તરત બંધ થઈ જાય છે અને કૉન્ટ્રાક્ટ રદ થાય છે.
ડીફર્ડ લાઈફ એન્યુઈટી રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ સહિત** (વિકલ્પ 1.10) :
i)ડીફર્મેન્ટ મુદત પૂરી થયા પછી એન્યુઈટંટના જીવન પર્યંત એન્યુઈટી સ્થાયી દરે ચૂકવવાપાત્ર રહે છે.
ii)ડીફર્મેન્ટ મુદત દરમિયાન એન્યુઈટંટનું મૃત્યુ થવા પર નોમિનીને ચૂકવવાપાત્ર ડેથ બેનિફિટ આમાંથી જે વધુ હોય તે રહેશે :
ક. પર્ચેઝ પ્રાઈસના 100% વત્તા (+) ગૅરંટેડ એડિશન્સ જે મૃત્યુની તારીખ સુધીમાં જમા થયા હોય.
ખ.પર્ચેઝ પ્રાઈસના 105%. અને બધાં જ ભાવિ લાભો/એન્યુઈટી પેમેન્ટ્સ તરત બંધ થાય છે અને કૉન્ટ્રાક્ટ રદ થાય છે.
iii)ડીફર્મેન્ટ મુદત પૂરી થયા પછી એન્યુઈટંટનું મૃત્યુ થવા પર, નોમિનીને ચૂકવવાપાત્ર ડેથ બેનિફિટ આમાંથી જે વધુ હોય તે રહેશે :
ક. પર્ચેઝ પ્રાઈસના 100% વત્તા (+) ગૅરંટેડ એડિશન્સ જે ડીફર્મેન્ટ મુદત દરમિયાન જમા થયા હોય ઓછા (-) એન્યુઈટંટના મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલ કુલ એન્યુઈટી.
ખ. પર્ચેઝ પ્રાઈસના 100%. અને બધાં જ ભાવિ લાભો/એન્યુઈટી પેમેન્ટ્સ તરત બંધ થાય છે અને કૉન્ટ્રાક્ટ રદ થાય છે.
iv) જેમાં દર મહિને ગૅરંટેડ એડિશન = પૉલિસી વર્ષ/12માં ચૂકવવાપાત્ર કુલ એન્યુઈટી.
v) ડીફર્મેન્ટ મુદત દરમિયાન દરેક પૉલિસી મહિનાના અંતે જમા થયેલ ગૅરંટેડ એડિશન્સ.
2. જોઈન્ટ લાઈફ એન્યુઈટી (બે જીવન) :
લાઈફ અને લાસ્ટ સર્વાઈવર 100% એન્યુઈટી (વિકલ્પ 2.1) : પ્રાયમરી એન્યુઈટંટ જીવીત હોય ત્યાં સુધી એન્યુઈટી સ્થાયી દરે ચૂકવવાપાત્ર રહે છે. પ્રાયમરી એન્યુઈટંટનું મૃત્યુ થવા પર, છેલ્લી એન્યુઈટી ચૂકવણીના 100% જીવીત રહેલા બીજા એન્યુઈટંટના જીવન પર્યંત ચાલુ રહેશે. છેલ્લા સર્વાઈવરનું મૃત્યુ થવા પર, એન્યુઈટી ચૂકવણીઓ તરત બંધ થઈ જશે અને કૉન્ટ્રાક્ટ રદ થઈ જશે. જો સેકંડરી એન્યુઈટંટ પ્રાયમરી એન્યુઈટંટ પહેલા મૃત્યુ પામે તો, પ્રાયમરી એન્યુઈટંટના મૃત્યુ પછી કાંઈ જ ચૂકવવાપાત્ર રહેતું નથી અને કૉન્ટ્રાક્ટ રદ થઈ જાય છે.
લાઈફ અને લાસ્ટ સર્વાઈવર 100% એન્યુઈટી રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ સાથે** (વિકલ્પ 2.2) : પ્રાયમરી એન્યુઈટંટ જીવીત હોય ત્યાં સુધી એન્યુઈટી સ્થાયી દરે ચૂકવવાપાત્ર રહે છે. પ્રાયમરી એન્યુઈટંટનું મૃત્યુ થવા પર, છેલ્લી એન્યુઈટી ચૂકવણીના 100% જીવીત રહેલા બીજા એન્યુઈટંટના જીવન પર્યંત ચાલુ રહેશે. છેલ્લા સર્વાઈવરનું મૃત્યુ થવા પર, અમે નોમિનીને પર્ચેઝ પ્રાઈસ પાછી આપી દઈશું અને બધી જ ભાવિ એન્યુઈટી ચૂકવણીઓ તરત બંધ થઈ જશે અને કૉન્ટ્રાક્ટ રદ થઈ જશે.
ડીફર્ડ લાઈફ અને લાસ્ટ સર્વાઈવર એન્યુઈટી રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઈસ સહિત** (વિકલ્પ 2.3) :
i)ડીફર્મેન્ટ મુદત પૂરી થયા પછી પ્રાયમરી એન્યુઈટંટ જીવીત હોય ત્યાં સુધી એન્યુઈટી સ્થાયી દરે ચૂકવવાપાત્ર રહે છે.
ii) પ્રાયમરી એન્યુઈટંટનું મૃત્યુ થવા પર, બીજા એન્યુઈટંટ (જો તે સમયે જીવીત હોય તો) લાઈફ એન્યુઈટી મેળવશે, જે પ્રાયમરી એન્યુઈટંટને પસંદ કર્યા મુજબ ચૂકવેલી છેલ્લી એન્યુઈટી રકમના 100% રહેશે. જો બીજા એન્યુઈટંટ પ્રાયમરી એન્યુઈટંટ પહેલા મૃત્યુ પામે તો પ્રાયમરી એન્યુઈટંટનું મૃત્યુ થવા પર એન્યુઈટી ચૂકવણીઓ બંધ થાય છે.
iii)ડીફર્મેન્ટ મુદત દરમિયાન છેલ્લા સર્વાઈવરનું મૃત્યુ થવા પર, નોમિનીને ચૂકવવાપાત્ર ડેથ બેનિફિટ આમાંથી જે વધુ હોય તે રહેશે :
ક. પર્ચેઝ પ્રાઈસના 100% વત્તા (+) ગૅરંટેડ એડિશન્સ જે મૃત્યુની તારીખ સુધીમાં જમા થયા હોય.
ખ. પર્ચેઝ પ્રાઈસના 105%. અને બધાં જ ભાવિ લાભો/એન્યુઈટી ચૂકવણીઓ તરત બંધ થઈ જશે અને કૉન્ટ્રાક્ટ રદ થઈ જશે.
iv)ડીફર્મેન્ટ મુદત પૂરી થયા પછી છેલ્લા સર્વાઈવરનું મૃત્યુ થવા પર, નોમિનીને ચૂકવવાપાત્ર ડેથ બેનિફિટ આમાંથી જે વધુ હોય તે રહેશે :
ક. પર્ચેઝ પ્રાઈસના 100% વત્તા (+) ગૅરંટેડ એડિશન્સ જે ડીફર્મેન્ટ મુદત દરમિયાન જમા થયા હોય ઓછા (-) છેલ્લા સર્વાઈવરના મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલી કુલ એન્યુઈટી.
ખ. પર્ચેઝ પ્રાઈસના 100%. અને બધાં જ ભાવિ લાભો/એન્યુઈટી ચૂકવણીઓ તરત બંધ થઈ જશે અને કૉન્ટ્રાક્ટ રદ થઈ જશે.
v)જેમાં દર મહિને ગૅરંટેડ એડિશન = પૉલિસી વર્ષ/12માં ચૂકવવાપાત્ર કુલ એન્યુઈટી.
vi)ડીફર્મેન્ટ મુદત દરમિયાન દરેક પૉલિસી મહિનાના અંતે જમા થયેલ ગૅરંટેડ એડિશન્સ.
**પર્ચેઝ પ્રાઈસ એટલે કે પૉલિસી હેઠળ પ્રીમિયમ (લાગુ થતા કરવેરા, અન્ય કાનૂની શૂલ્ક જો કોઈ હોય તો તેના સિવાય) રહેશે.
#બૅલેન્સ પર્ચેઝ પ્રાઈસ = પ્રીમિયમ (લાગુ થતા કરવેરા, અન્ય કાનૂની શૂલ્ક જો કોઈ હોય તો તેના સિવાય) ઓછા આજ સુધી કરાયેલ એન્યુઈટી પેઆઉટ્સ. જો આ નેગેટિવ હોય તો, કોઈ ડેથ બેનિફિટ ચૂકવવાપાત્ર નહીં રહે. જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ એન્યુઈટી પ્લસના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
*પ્રવેશ સમયે નાની અને મોટી ઉંમરોને નૅશનલ પેન્શન સિસ્ટમ (NPS) સબસ્ક્રાઈબરોની જરૂરિયાતો પૂરી કરવા દેવાશે જેમાં પ્રવર્તમાન PERDA માર્ગદર્શિકા અનુસાર એનપીએસ આવકોમાંથી ખરીદી કરવામાં આવી હોય.
નોંધ : 30 વર્ષથી ઓછી ઉંમરના એન્યુઈટંટ માત્ર એ કિસ્સામાં સ્વીકાર્ય રહેશે જેમાં આવકો કંપની દ્વારા જારી કરાયેલ અથવા અમલી કરાયેલ કૉન્ટ્રાક્ટમાંથી થઈ હોય અથવા સુપરએન્યુએશન સ્કીમ્સના કિસ્સામાં એમ્પ્લોયર-એમ્પ્લોઈ કિસ્સાઓ, જેમાં એન્યુઈટીની ફરજિયાત ખરીદી જરૂરી છે અથવા વિશેષ સ્થિતિઓ જેમાં સરકારી યોજનાઓ, કર્મચારીઓ અથવા લાભાર્થીઓ સંકળાયેલા હોય.
ઉપર જણાવેલા દરેક કિસ્સાઓમાં જોઈન્ટ લાઈફ એન્યુઈટીઝ માટે ઉંમર મર્યાદા બંને જીવનને લાગુ પડે છે. જોઈન્ટ લાઈફ એન્યુઈટીઝના કિસ્સામાં, પ્રાયમરી અને સેકંડરી લાઈફ વચ્ચે ઉંમરનો માન્ય મહત્તમ તફાવત 30 વર્ષ છે.
2W/ver1/01/25/WEB/GUJ
જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
*કર લાભો
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતાં ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.
તમે/મેમ્બર ભારતમાં લાગુ થતા આવકવેરાના કાયદાઓ અનુસાર કર લાભો/છૂટ માટે પાત્ર રહો છો, આ કાયદાઓ સમયાંતરે ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.
એન્યુઈટી લાભો એન્યુઈટંટે પસંદ કરેલા એન્યુઈટી વિકલ્પ અને એન્યુઈટી ચૂકવણીના પ્રકાર તેમ જ એન્યુઈટી ખરીદતી વખતે પ્રવર્તમાન એન્યુઈટી દરો પર આધાર રાખે છે અને તે એન્યુઈટંટ(ટો) ને ચૂકવી દેવામાં આવશે.